મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

તો કોંગ્રેસના 200 કાર્યકર્તા બાઇક સાથે મોરબીમાં ભાજપના રોડ શોમાં જોડાવા તૈયાર !


SHARE











મોરબીમાં યોજાનાર ભાજપ અધ્યક્ષનો રોડ શો મહેન્દ્રનગરથી અણિયારી ચોકડી સુધી ભાજપ દ્વારા કરવામાં આવે તો તંત્ર અને સતાધીશોની કામગીરી રાષ્ટ્રીય અધ્યક્ષના ધ્યાનમાં આવે તેમ છે માટે રોડ શો ત્યાં સુધી લઇ જવા કોંગ્રેસના યુવા આગેવાને માંગ કરેલ છે

આવતી કાલે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષનો મોરબીમાં રોડ શો યોજાવાનો છે ત્યારે મોરબી શહેરમાં રોડ રસ્તાનાં યુદ્ધનાં ધોરણે કામ થઈ રહ્યા છે આવું જ કામ જો મોરબીની પ્રજા માટે કર્યું હોત તો લોકોનાં હદયમાં સ્થાન પામ્યા હોય પણ નહિ આ ભાજપને માત્રને માત્ર ચૂંટણી લક્ષી કામોમાં અને પ્રચારમાં જ મજા આવે છે એ વાત હાલમાં સાબિત થાય છે
મોરબીના યુવા કોંગી આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, યુવાનોની બેરોજગારી, મોંઘવારી સહિતના મુદા છોડીને ભાજપ તાયફા અને પ્રચારમાં વ્યસ્ત છે. જો ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષનો રોડ શો મહેન્દ્રનગર થી અણિયારી ચોકડી સુધી કર્યો હોત તો પ્રજાનું પણ ભલું થાય કે ત્યાંનાં રોડ રસ્તા તો સારા થઈ જાત એવી લોકોમાં વાતો નો વંટોળ ચડ્યો છે ત્યારે આ ભાજપની નીતિ રિતીનો તેમને વિરોધ કરેલ છે અને જો જે.પી.નડ્ડાને મહેન્દ્રનગરથી અણિયારી ચોકડી સુધી રોડ શો કરવો હોઈ તો કોંગ્રેસના યુવા આગેવાન સહિત ૨૦૦ મોટર સાઇકલ સાથે તેઓ પણ રોડ શોમાં જોડાશે તેવો કટાક્ષ કરેલ છે






Latest News