મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત


SHARE











માળીયા (મી)ના મોટાભેલા ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત

માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા ભેલા ગામે કોઈ ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત નીપજયું છે જેથી સ્થાનિક પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલા મોટાભેલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની બીજલીબેન રાકેશભાઈ સિસોદિયા જાતે કોળી ઠાકોર નામની આઠ વર્ષીય બાળકીને મૃત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી. વાળા દ્વારા તપાસ ચલાવવામાં આવતા મૃતક બાળકીના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી બીજલીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે મોરબીના માળીયા મિયાણા તાલુકાના અણીયારી ગામે રમેશભાઈની વાડીએ ઝેરી દવા પી ગયેલા વિજય ભીમાભાઇ સંગોડ નામના ૨૫ વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી બનાવને પગલે પોલીસે કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

ફીનાઇલ પીધું

મોરબી તાલુકાના શાપર ગામે રહેતા દિલીપભાઈ રામજીભાઈ વાઘેલા નામના ૩૮ વર્ષના યુવાને લક્ષ્મીનગર ગામે ફીનાઇલ પી લેતા તેને સિવિલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ ચલાવવામાં આવતા ખુલ્યું હતું કે દિલીપભાઈના પત્ની હાલ માવતર રિસામણે ગયેલા હોય અને તે બાબતે લાગી આવતા દિલીપભાઈએ પોતાના સાસરે જઈને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એડોન સિરામિકની નવી બનતી સાઈટ ઉપર કામ દરમિયાન ડાબા પગના ભાગે સાપ કરડી જતા શંકરભાઈ લગનભાઈ શાહ નામના ૫૦ વર્ષીય આધેડને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે મોરબીના રહેવાસી શિવમ ઉમેશભાઈ નિમાવત નામનો યુવાન ઘરેથી કોલેજે જતો હતો ત્યારે અરુણોદયનગર ચોક પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News