મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત


SHARE











માળીયા (મી)ના મોટાભેલા ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત

માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા ભેલા ગામે કોઈ ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત નીપજયું છે જેથી સ્થાનિક પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલા મોટાભેલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની બીજલીબેન રાકેશભાઈ સિસોદિયા જાતે કોળી ઠાકોર નામની આઠ વર્ષીય બાળકીને મૃત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી. વાળા દ્વારા તપાસ ચલાવવામાં આવતા મૃતક બાળકીના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી બીજલીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે મોરબીના માળીયા મિયાણા તાલુકાના અણીયારી ગામે રમેશભાઈની વાડીએ ઝેરી દવા પી ગયેલા વિજય ભીમાભાઇ સંગોડ નામના ૨૫ વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી બનાવને પગલે પોલીસે કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

ફીનાઇલ પીધું

મોરબી તાલુકાના શાપર ગામે રહેતા દિલીપભાઈ રામજીભાઈ વાઘેલા નામના ૩૮ વર્ષના યુવાને લક્ષ્મીનગર ગામે ફીનાઇલ પી લેતા તેને સિવિલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ ચલાવવામાં આવતા ખુલ્યું હતું કે દિલીપભાઈના પત્ની હાલ માવતર રિસામણે ગયેલા હોય અને તે બાબતે લાગી આવતા દિલીપભાઈએ પોતાના સાસરે જઈને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એડોન સિરામિકની નવી બનતી સાઈટ ઉપર કામ દરમિયાન ડાબા પગના ભાગે સાપ કરડી જતા શંકરભાઈ લગનભાઈ શાહ નામના ૫૦ વર્ષીય આધેડને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે મોરબીના રહેવાસી શિવમ ઉમેશભાઈ નિમાવત નામનો યુવાન ઘરેથી કોલેજે જતો હતો ત્યારે અરુણોદયનગર ચોક પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News