બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા
SHARE
બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધાઓ વધારવામાં આવી રહી છે ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે ગઇકાલે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં હાજર રહેલા ભૂદેવોને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ વર્તમાન સ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રામાયણ ગરુડના પ્રસંગને ટાંકીને તેમજ અન્ય જુદાજુદા દ્રષ્ટાંતો આપીને વારંવાર સંગઠિત રહેવા માટે આગ્રહ કર્યો હતો આ તકે મોરબી માળીયા વિધાન સભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા અને તેની ટિમ તેમજ સમાજની જુદીજુદી પાંખોના હોદેદારો સહિતના લોકો હાજર રહ્યા હતા