ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાને ગયેલ યુવાન ઘરે પરત ન ફરતા શોધખોળ શરૂ


SHARE











મોરબીમાં કારખાને ગયેલ યુવાન ઘરે પરત ન ફરતા શોધખોળ શરૂ

મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્ક શેરી નંબર-૨ માં મહેશ પાન વાળી શેરીમાં રહેતા દિનેશભાઇ અવચરભાઈ ધોળકિયા પ્રજાપતિ કુંભાર નામનો ૪૨ વર્ષીય યુવાન ગુમ થઈ ગયો હોય હાલ તે અંગે તેમના પત્નીએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ મીરાપાર્ક શેરી નંબર-૨ માં રહેતા દિનેશભાઇ અવચરભાઈ ધોળકિયા પ્રજાપતિ કુંભાર નામનો ૪૨ વર્ષીય યુવાન ગત તા.૧૮-૮ ના રોજ સવારે સાતેક વાગ્યે નોકરીએ જવા માટે રંગપર ગામની સીમમાં આવેલ એલવી ગ્રેનાઇટોમાં ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે આવવા માટે બાઈક લઈને નીકળયા હતા જે દરમિયાન રસ્તામાં તેઓ ગુમ થઈ ગયા હોય અને છેલ્લા બે દિવસથી તેઓ ઘરે પરત આવ્યા ન હોય તેમના પત્ની શિલ્પાબેન દિનેશભાઈ ધોળકીયાએ હાલમાં તેમના પતિ દિનેશભાઈ ગુમ થયા હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના એમ એલ.બારૈયાએ નોંધ કરીને ગુમ થયેલા દિનેશભાઈની શોધખોળ હાથ ધરી છે.

૨૫ લિટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નીચર પાછળની લક્ષ્મીનગર સોસાયટીમાં કરવામાં આવેલી રેડમાં વિજય હમીર ખીંટ જાતે ભરવાડ નામના ૨૭ વર્ષીય યુવાનની ૨૫ લિટર દેશી દારૂ કિંમત રૂા.૫૦૦ ના જથ્થા સાથે અટકાયત કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી નામનો યુવાન મોરબીના સામાકાંઠે જ આવેલ રામકૃષ્ણનગરમાં કામ સબબ ગયો હતો અને ત્યાંથી તે પરત બાઈકમાં ઘરે જતો હતો ત્યારે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ ગોમતી નીવાસ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News