મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE











વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રીક્ષા ઉભી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં-૨ માં રહેતા ઇનાયતભાઈ અયુબભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૨૫) વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રેલવેના નાલા નીચે હતા ત્યારે રીક્ષા ઉભી રાખવા બાબતે ઝાકીરભાઇ મહમદભાઈ રાઠોડ અને નૂરમહંમદભાઈ મકવાણા રહે બંને લક્ષ્મીપરા વાળા સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઇનાયતભાઈ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે બંને આરોપીઓએ રિક્ષા વડે તેનો પીછો કર્યો હતો અને ઝાકીરભાઇ રાઠોડએ તેની પાસે રહેલ છરી વડે ઇનાયતભાઈને ઇજા કરી હતી અને નૂરમહંમદભાઈ મકવાણાએ ધોકા વડે માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પીપરવાડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ બે શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના ગારીયા ગામના પુલ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જયસુખભાઈ ધરમશીભાઈ રોજાસરા જાતે કોળી (૨૮) રહે. ગારીયા અને શૈલેષભાઈ મલાભાઇ રાતડીયા જાતે ભરવાડ (૪૮) રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળા આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News