મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચાડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ


SHARE















નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ

મોરબી જિલ્લામાં માળીયા કેનાલના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોને હાલમાં પાણીની જરૂરિયાત છે ત્યારે કેનાલ તળિયા ઝાટક છે જેથી ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેથી કરીને નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ખેડૂતોએ અધિકારીઓને નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ૨૩ મી સુધીમાં પાણી નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે


મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોએ પ્રથમ વરસાદ થતાની સાથે જ પોતાના ખેતરોની અંદર જુદા જુદા પાકની વાવણી કરી નાખી હતી અને ત્યાર બાદ પાણી ન મળવાના કારણે હાલમાં પાક મુરજાઇ રહ્યો છે ત્યારે સિંચાઈનું પાણી મળે તે માટે ૨૧ મી થી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જો કે, નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ૨૧ એવ આંદોલન કરવાના બદલે ખેડૂતોએ અધિકારીને ૨૩ મી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ત્યાં સુધીમાં પાણી નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News