મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ટંકારા ધારાસભ્ય અને વિદ્યાર્થિનીઓએ બસના મુદ્દે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કર્યો હતો ચક્કાજામ


SHARE











ટંકારા ધારાસભ્ય અને વિદ્યાર્થિનીઓએ બસના મુદ્દે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કર્યો હતો ચક્કાજામ

 મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે ટંકારા ધારાસભ્ય મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ લલીતભાઇ કગથરાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને વિદ્યાર્થીનીઑ દ્વારા એસટી બસમાં ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો કારણકે ટંકારા તાલુકાના ઉમિયાનગર, નસીપર, નાના ખીજડિયા, મોટા ખીજડીયા અને મોરબી તાલુકાના મહેન્દ્રનગર, ઘૂટું સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોરબી શહેર અને તેની આસપાસમાં આવેલી શાળા-કોલેજોની અંદર અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને તેઓના ઘરેથી સવારના સમયે સમયસર શાળાએ આવવા માટે થઈને બસ મળતી ન હોવાથી અને ઘણી વખત બસના ડ્રાઇવર-કંડકટર બસને ઊભી રાખતા નથી જેથી કરીને વિધાર્થીઓ સહિતના હેરાન થતાં હોય છે જેથી કરીને અવારનવાર આ મુદ્દે ધારાસભ્ય અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા મોરબી એસટી ડેપોના મેનેજર અને રાજકોટ ડિવિઝનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ નક્કર પગલાં લઈને સુધી લેવામાં આવ્યા ન હતા જેથી કરીને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને ટંકારા ધારાસભ્ય સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા એસટી બસ સ્ટેન્ડની અંદર બસને રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી એસટી બસો શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ બસોને જવાની દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારે એસ.ટી બસ ડેપોના મેનેજર તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેમણે એસટી બસની જે જરૂરિયાત છે તે રૂટ તાત્કાલિક કાર્યરત કરવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી કરીને ધારાસભ્ય અને વિદ્યાર્થીઓએ ચક્કાજામ ખુલ્લો કર્યો હતો જોકે સમયસર બસોને શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ફરી પાછા કોંગ્રેસના આગેવાનો દ્વારા એસટી બસ ડેપો ખાતે ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી






Latest News