સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





ટંકારાના હરીપરપાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના હરીપર ગામ પાસે પુલિયા નજીક બાઇક લઈને પસાર થતાં યુવાનનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને ટંકારા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હજનાળી ગામે રહેતા ચિરાગભાઈ અનિલભાઈ ઓરીયા જાતે તરગાળા (૨૯) ગત તા. ૧૬/૮ ના સાંજના સાતેક વાગ્યાના સુમારે ટંકારાથી ગોંડલ તરફ મસીના ઘરે જન્માષ્ટમી ઉપર જતો હતો ત્યારે ટંકારાના હરીપર ગામ પાસે બાઈક નં જીજે ૩ એફએમ ૪૮૫૬ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ચિરાગભાઈ ઓરિયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના બનાવવામાં મૃતક યુવાનના ભાઈ જીગરભાઈ અનિલભાઈ ઓરીયા (૨૬) રહે, હજનાળી વાળાની ફરિયાદ લઈને ટંકારા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
 
મોરબીના સામાકાંઠે આવેલી માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતો સુનિલ મોહનભાઈ સોલંકી નામનો યુવાન નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરામાં વિજયનગર વિસ્તારમાં રહેતા આશાબેન અમૃતભાઈ સોલંકી નામની ૪૦ વર્ષની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
 
મહિલા સારવારમાં
 
મોરબીના આઇકોન સીરામીકના લેબર ક્વાર્ટર પાસે આવેલ બિલ્ડીંગમાંથી પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં લક્ષ્મીબેન અર્જુનભાઈ રાવળ નામની ૨૨ વર્ષની મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીકના પ્રેમજીનગરમાં રહેતા મનીષ કિશોરભાઈ પરમાર નામના ૨૭ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.



Latest News