મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના સરા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત 


SHARE











મોરબીના સરા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત 

 

મોરબીના હળવદ તાલુકામાં સરા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં પાણી ભરવા જતાં સમયે પગ લપસી જતાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજેલ છે. હળવદ પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં પાણી ભરવા માટે ગયેલા ચેતનસિંહ જગદીશસિંહ ગોહિલ દરબાર (૩૬) ધંધો ખેતી હાલ રહે. હળવદ હરીનગર ગોલ્ડ સરા રોડ મૂળ રહે.મૂળ રહે મગલાણા તાલુકો શિહોર જી.ભાવનગર કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કરીને ચેતનસિંહ ગોહિલનું મોત નિપજેલ છે બનાવ અંગે મૃતકના સંબંધી મહેન્દ્રસિંહ ગોહિલે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના શકત શનાળા ગામના રહેવાસી મહાવીરસિંહ જુવાનસિંહ ઝાલા નામનો ૩૮ વર્ષીય યુવાન ગઇકાલ તા.૧૯ ના ૭:૩૦ વાગ્યે લક્ષ્મીનગરના ઓવરબ્રીજની પાસેથી પગપાળા જતો હતો ત્યારે ત્યાં કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રત થયેલા મહાવીરસિંહ જુવાનસિંહ ઝાલાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ થતાં હાલમાં બીટ જમાદાર એમ.એલ.બારૈયાએ બનાવની આગળની તપાસ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબી નજીકના આમરણ ગામે આવેલ એસવીએલ કન્ટ્રકશન નામના યુનિટના લગાવવામાં આવેલા કેમ્પમાં સાપ કરડી જવાથી નિરવકુમાર વૃંદાવનકુમાર નામના ૨૮ વર્ષીય યુવાનને હાલમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક નજીક બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં મોરબીના પ્રેમજીનગરના દિનેશ કાનજીભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News