મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન


SHARE











મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન

શીવ ભક્તો અને પર્યાવરણ પ્રેમી સાથે ભોલેનાથનો અનોખો ભંડારો યોજવામાં આવ્યો હતો અને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને યુવાનોએ સાર્થક કર્યું હતું મોરબીના લાલપર ગામે યુવાનોએ ભોલેનાથનો ભંડારો યોજાયો હતો જેમાં પર્યાવરણ પરિવાર, વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવોના આહાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શ્રાવણ માસની અમાસના દિવસે શીવલીંગની રંગોળી બનાવી હતી અને તેમાં વપરાયેલ સામગ્રીમાંથી કીડીયારું પુરીયુ હતું ત્યારે ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને જુદીજુદી ૫૧ જગ્યાએ જંગલમાં  જમીનનો ખાડો ખોદીને દાટી તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મૂક્યા હતા જેથી ૫૧૦૦૦ જેટલા નાના જીવોને તેમાંથી ખોરાક મળતો રહેશે તેવી જ રીતે અમાસના દિવસે શિવ મંદિરોમાં ભક્તોની વધુ ભીડ હોય છે ત્યારે મોરબીના આંદરણા ગામે જાગનાથ મહાદેવ મંદિરમાં નાગદેવતા દેખાતા હતા જેથી કરીને લોકોએ તેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી






Latest News