વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE











મોરબીના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમી આધારે સ્ટાફે તાલુકા જુના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ પરબતભાઈ ઘ્રાંગા જાતે આહીર નામના ૪૦ વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી પ્લાસ્ટીકના ઝબલા તેમજ પુંઠાના ખોખામાંથી પોલીસને જુદીજુદી બનાવટી વિદેશી દારૂની ૨૬ બોટલો મળી આવતા  રૂપિયા ૧૦,૦૫૦ ની કિંમતની ૨૬ બોટલ દારૂ સાથે હાલમાં ભાવેશ ઘ્રાંગાની તાલુકા પોલીસે ધરપકડ કરી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે.જ્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ દરમ્યાન શહેરના મહેંન્દ્ર ડ્રાઇવ રોડના ખૂણા પાસેથી એકટીવા લઈને નીકળેલા નિકુલ ઉર્ફે નિકલો રાજેન્દ્ર દવે જાતે બ્રાહ્મણ (૨૫) રહે.રવાપર હનુમાન મંદિર પાસેને અટકાવીને તેની તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલ મળી આવતા રૂપિયા ૬૦૦ ની કિંમતનો દારૂ તથા ૩૦ હજારનું એકટીવા મળી ૩૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે નિકુલ રાજેન્દ્ર દવેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

યુવાનનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેના યુનિટમાં મજૂર યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું. મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નીચી માંડલ ગામ પાસે આવેલ નિત્યારાવ સિરામિક નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતો મૂળ રાજસ્થાનના ઝુઝનુનો રહેવાસી પ્રેમકુમાર સુરજકુમાર (૪૮) નામના યુવાનનું બિમારી સબબ મોત નિપજતાં તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જેથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મહીલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News