મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તલાટીઓની હડતાલ સમેટાઇઃ પાંચ પૈકીના ત્રણ માંગણી સંતોષાયી


SHARE











રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તલાટીઓની હડતાલ સમેટાઇઃ પાંચ પૈકીના ત્રણ માંગણી સંતોષાયી

છેલ્લા ઘણા દિવસોથી તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર હતા જેથી કરીને ગામે ગામે લોકોના કામો ખોરવાઈ ગયા હતા જેથી કરીને આજે  મોરબી માળીયાના ધારસભ્ય અને પંચાયત મંત્રીની હાજરીમાં મિટીંગ ગાંધીનગરમાં હતી જેમા પાંચ પૈકીના ત્રણ પ્રશ્નો ઉકેલાઇ જતા હડતાળનુો સુખદ અંત આવ્યો છે

મોરબી જીલ્લા સહિત ગુજરાતની ગ્રામ પંચાયતમાં કામ કરતા તલાટીઓના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા ન હતા જેથી કરીને રાજ્યના તલાટી મંડળ દ્વારા કરવામાં આવેલ હડતાલના કારણે ગામડામાં લોકોના કામો અટકી ગયા હતા જેથી પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હાજરીમાં રાજ્ય તલાટી મંડળના હોદેદારોની મિટીંગ યોજાઇ હતી જેમા મંત્રીની દરમ્યાનગીરીથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન મુજબ પાંચ પૈકીની ત્રણ માંગણીઓ સંતોષવામાં આવી છે જેથી કરીને મોરબી જીલ્લાના ૨૪૫ તલાટીઓ સહિત રાજ્યના તલાટીઓ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલ પુરી કરવામાં આવી છે જે માગણી સંતોષવામાં આવી છે તેમાં વર્ષ 2006 પહેલા તલાટી મંત્રી તરીકે જોડાયેલા કર્મચારીઓની નોકરી સળંગ ગણવામાં આવશે, તેમજ જોબ ચાર્ટ માટે મહેસુલ, પંચાયત અને સામાન્ય વિભાગના અધિક સચિવની એક કમિટી બનાવવામાં આવી છે અને ઉચ્ચતર પગાર ધોરણ માટેની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે જોકે બઢતી માટે પરીક્ષા આપવી પડશે






Latest News