મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા


SHARE







હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા

હળવદ માર્કેટ યાર્ડના જુદાજુદા બે વેપારી દ્વારા રોકડા હાથ ઉછીના રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સામે ચેક આપવામાં આવ્યા હતા જે ચેક રિટર્ન થયા હોવાથી હળવદની કોર્ટમાં કેસ ચાલી ગયા હતા જે બંનેમાં ફરીયાદીને રકમ ચૂકવી આપવાનો આદેશ કરીને આરોપીને સજા ફટકારવામાં આવી છે

હળવદ માર્કેટ યાર્ડમાં પ્રજાપતિ ટ્રેડીંગ કંપની ધારાવતા મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિને હાથ ઉછીની રૂપિયા પરત આપવા માટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈ રહે. મોવૈયા વાળાએ એકસીસ બેંકની પડધરી શાખાનો ૨,૨૭,૪૧૨ નો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઓધડભાઈએ લીગલ નોટીસ આપી હતી અને હળવદની કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈને ત્રણ માસની સાદી કેદની સજા અને ૨,૨૮,૦૦૦ રૂપિયા આપવા માટે આદેશ કર્યો છે આ કેસમાં ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.

હળવદના નવા ઈશનપુર ગામના વિઠલભાઈ લવજીભાઈ દલવાડીએ ૩.૪૧ લાખ ચામુંડા એન્ટર પ્રાઈઝના પ્રોપરાઈટર વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને હાથ ઉછીના આપ્યા હતા જેથી વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાએ આદર્શ બેંક હળવદનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં વિઠલભાઈ દલવાડીએ નોટીસ આપી હતી અને હળવદની કોરટમાં કેસ ચાલી જતાં કોર્ટે ચામુંડા એન્ટર પ્રાઈઝ વાળા વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને છ માસની સાદી કેદની સજા તેમજ ૩.૪૧ લાખ રૂપિયા ફરીયાદીને આપવા માટેનો તેમજ ૫૦૦૦ રૂપિયા સરકારમાં જમાં કરાવવા માટે આદેશ કરેલ છે આ કેસમાં પણ ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.






Latest News