મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં તહેવારો ટાણે જ અંધારપટ: મહેશ રાજ્યગુરૂ


SHARE











મોરબી પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં તહેવારો ટાણે જ અંધારપટ: મહેશ રાજ્યગુરૂ

મોરબી શહેરની એ ગ્રેડની ભાજપ સાસિત નગરપાલિકા જાણે ફક્ત અને ફક્ત તાયફાઓ કરી પ્રજાના પૈસાનો ગેર ઉપયોગ કરતી હોય તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા કરવામાં આવ્યો છે કેમ કે, હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં મોરબી નગરપાલિકા વોર્ડ નં-૩ માં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકાની ઘણી સ્ટ્રીટ લાઇટો બંધ છે જેથી આ વોર્ડમાં તહેવાર ઉપર અંધકાર છવાયેલો છે

મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ જણાવ્યુ છે કે, નટરાજ ફાટકથી વેજીટેબલ સુધી  મેઇન રોડ ઉપર લાઈટો બંધ !, તેવી જ રીતે સોસાયટીમાં આશરે ૭૦ ટકા  જેટલી લાઇટો બંધ !, તો પણ તેને રીપેર કરવામાં આવી રહી નથી અને તહેવાર ઉપર શેરી ગાલ્લીઓમાં અંધકાર છે તો પછી પ્રજા નગરપાલિકામાં જે ટેક્સ ભરે છે તે રકમનો ઉપયોગ શું માત્ર તાયફઓ કરવા માટે જ કરવામાં આવે છે તેવો અણીદાર સવાલ પણ કર્યો છે શા માટે આ વોર્ડના લોકોને પાલિકા દ્વારા સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી

શહેરના મોટાભાગના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા ઉપર ખાડા છે જેથી કરીને લોકોના વાહન લઈને જવું તો ઠીક પરણતું ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે આ રસ્તા ઉપરથી કોઈ બીમાર વ્યકતી કે સગર્ભા મહિલાને વાહનમાં દવાખાને લઈ જવાના થાય તો તે દર્દીની તકલીફ પણ વધી જાય છે અને લોકોના વાહનોમાં પણ નુકશાની આવે છે આમ પાલિકાના નીંભર અને અણઆવડત ભર્યા વહીવટથી પ્રજા થાકી ગયેલ છે અને વોર્ડ નંબર ૩ માંથી જ પાલિકાના ઉપપ્રમુખ ચૂંટાયેલ છે તો પણ આ વિસ્તાર પ્રત્યે કેમ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે

વધુમાં તેમણે કહ્યું છે કે, મોરબીની પ્રજાએ ભાજપને બાવને-બાવન સદસ્ય ચૂટવીને પાલિકાનો "વહીવટ" સોપેલ પરંતુ સતા ચલાવતા નથી આવડતું એવા લોકો સત્તામાં છે જેથી કરીને લોકોની સમસ્યાઓ ઉકેલવાના બદલે વધી રહી છે જેથી કરીને કમિશનની ચિંતા કર્યા વગર સારા કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે હાલ મોરબી શહેરમાં નકાર્ગાર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયેલ છે. ત્યારે વોર્ડ નંબર ૩ તેમજ શહેરના તમામ વોર્ડમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ ઝડપથી ચાલુ કરવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાને માંગ કરી છે






Latest News