મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!


SHARE







મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ શેરીમાં રહેતા વૃદ્ધને તેના પુત્ર અને પુત્રવધુ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા.બાદમાં તેઓએ પોતાના પુત્ર અને પુત્રવધુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કળિયુગની પરાકાષ્ઠા દર્શાવતા ઉપરના બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ રોડ ઉપર રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૩ વર્ષના વૃદ્ધને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ નંદલાલભાઈએ પોતાના જ પુત્ર સુનિલ નંદલાલ ચૌહાણ અને તેની પત્ની દક્ષાબેન સુનિલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, નજીવી વાતે ઝઘડો કરીને બંને દ્વારા તેમને ધક્કો મારીને પાડી દીધા બાદ ઢીકાપાટુ વડે મારામારી કરવામાં આવી હતી.હાલ તેઓએ નોંધાવીને ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

રીક્ષામાંથી પડી જતા ઈજા

માળીયા મીંયાણાના કાજરડા ગામે રહેતા સહેરાબેન નુરમામદભાઈ માણેક નામના ૭૧ વર્ષીય વૃદ્ધા રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે માળિયા ગામના ઝાંપા પાસે તેઓ રિક્ષામાંથી નીચે પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો ભુનેશભાઈ સાગઠીયા નામનો ૧૫ વર્ષીય સગીર હળવદ ચોકડી પાસે હતો ત્યાં બે અજાણ્યા લોકો દ્વારા તેને માર મારવામાં આવતા સારવારમાં ખસેડાયો હતો.

દવા પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ ઉપર રહેતા મીનાબેન લાખાભાઈ ચૌહાણ નામના ૩૭ વર્ષના મહિલાએ કોઇકારણોસર ઝેરી દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે






Latest News