મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયામ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૨ નું મોરબીના રવપર રોડ ઉપર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોરબી જિલ્લામાં આવતી શાળાઓમાંથી ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દેશ ભક્તિનાં ગીતો રજૂ કર્યા હતા આ સ્પર્ધામાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડીયા તેમજ નિલકંઠ વિદ્યાલય મોરબી વતી તેના પ્રતિનિધિ શ્રીમતી દિપ્તીબેન સાવરિયા હાજર રહેલ હતા અને આ સ્પર્ધામાં ડો. ભાવનાબેન ભટ્ટ અને ડો. પ્રેયસભાઈ પંડ્યાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી અને સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ વિજેતા થયેલ છે તેમાં પ્રથમ ક્રમે નવયુગ સંકુલ- વિરપર તથા દ્ધિતીય ક્રમે રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય-હળવદ તથા તૃતીય ક્રમે શ્રી સરસ્વતી શિશુમંદિર -હળવદ વિજેતા છે જેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અભય ઈલેક્ટ્રીક્સ કંપની-મોરબી દ્રારા આપવામાં આવેલ છે આ સ્પર્ધાના મુખ્ય સંયોજક તરીકે ધ્રુમીલભાઈ આડેસરા તેમજ સહસંયોજક તરીકે હિંમતભાઈ મારવણીયા હતા અને આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર અને રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્રારા કરવામાં આવ્યું હતું અને ભારત વિકાસ પરિષદ-મોરબીના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા અને વરિષ્ઠ સભ્યો મનહરભાઈ કુંડારિયાચિરાગભાઈ હોથીરમેશભાઈ છૈયાવિનુભાઈ મકવાણાદિનેશભાઈ હુંબલ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી






Latest News