મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સિંચાઈ કેનાલો અને ધોરિયાઓના અધૂરા કામ પૂરા કરવાની માંગ


SHARE















મોરબી જીલ્લામાં સિંચાઈ કેનાલો અને ધોરિયાઓના અધૂરા કામ પૂરા કરવાની માંગ

મોરબી જીલ્લામાં સિંચાઈ સેવા સદનની સાથે બાકી રહેલી કેનાલો તેમજ ધોરિયાઓ તાત્કાલિક પુરા કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ હાલમાં રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે

તેમણે જણાવ્યુ  છે કે, મોરબીમાં સિંચાઈ સદન બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવવા માટે રજૂઆત કરવમાં આવેલ છે. જો કે, આ રૂપિયા તો ફાળવવા ના જ છે. અને મોરબીમાં સિંચાઈ સદન બનશે તેનો આનદ છે પરંતુ હાલમાં સૌથી વધારે જરૂરિયાત મોરબી જીલ્લાના મચ્છુ-૩ ડેમ તેમજ ડેમી-૩ ડેમની કેનાલો કે જે અધુરી છે. તે જલ્દી પૂરી થાય તેની લાગે છે. તેમજ મચ્છુ-૨ ની કેનાલના કામો પણ અધૂરા છે. તેમજ મોરબી જીલ્લા માં આવતી નર્મદા કેનાલની કેનાલો જેવી કે માળિયા, ધ્રાંગધ્રા , અને મોરબી બ્રાંચ કેનાલ ની ડિસટ્રીબ્યુટરી, માયનોર, સબમાયનોર, વોટરકોર્ષના કામો જે બાકી છે. તે જલ્દી પુરા થાય તે ખુબજ અગત્યનું છે.


માળિયા અને મોરબી તાલુકાના સિંચાઈની સુવિધાથી વંચિત ગામોની કેનાલની માંગણી બાબતે છેલ્લી પેટા ચુંટણીમાં સતાધારી પક્ષના જવાબદાર નેતાઓ દ્વારા આપવામાં આવેલ વચન મુજબ જલ્દી આ કામ મંજુર કરીને આગામી ચુંટણી પહેલા કામ ચાલુ કરવામાં આવે તે માટે માંગણી કરેલ છે. અને સિંચાઈ વિહોણા ગામો માટે મચ્છુ-૨/૩  માંથી કેનાલ મોટી કરીને લંબાવવાના કામને ખરેખર મંજુરી આપવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે તે પણ જરૂરી છે જો આવું કરવામાં નહિ આવે તો પેટા ચુંટણીમાં આપેલ વચનો લોલીપોપ વચનો જ હતા તેવું માનીને આ વિસ્તારના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે.
     






Latest News