મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતો યુવાન રાત્રી દરમિયાન પોતાના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તેનો ભાઈ સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી બધું સારવાર માટે રાજકોટ લઈને ગયેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર દવા પીધી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારની અંદર રહેતા યાસીનભાઈ રહીમભાઈ શેખ (ઉંમર ૪૨) રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી ગયા હતા અને ત્યારબાદ તેને પોતાના નાના ભાઈ ફકરુદીનને ફોન કરીને જાણ કરતા તેનો નાનો ભાઈ ફકરુદ્દીન તેના ઘરે આવ્યો હતો અને ત્યારે યાસીનભાઈએ ફકરુદ્દીનને કહ્યું હતું કે તે ઝેરી દવા પી ગયેલ છે જેથી ફકરુદ્દીનભાઈ તેના ભાઈને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે યાસીનભાઈ શેખ રિક્ષા ચલાવે છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે અને તેના પત્ની કારણોસર રિસામણે છે તેવું યુવાનના ભાઈ પાસેથી જાણવા મળ્યું છે જો કે, યુવાને શા માટે ઝેરી દવા પી લીધી હતી તે દિશામાં પોલીસે હાલમાં તપાસ ચાલુ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં થયેલા વાહન અકસ્માતના બનાવમાં પ્રદીપભાઈ ગણપતભાઈ નીનામા (ઉંમર ૨૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે હાલમાં અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News