મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા પાસે કેનાલમાં હાથ પગ ધોવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











હળવદના કવાડીયા પાસે કેનાલમાં હાથ પગ ધોવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં હાથ-પગ ધોવા માટે ગયેલ યુવાન પાણીમાં ડુબી જતાં તેનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા દિપકભાઇ મહાદેવભાઇ ચારોલા (ઉંમર ૨૮) ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં નર્મદાની કેનાલમાં હાથ-પગ ધોવા માટે ગયા હતા ત્યારે પગ લપસી જવાથી તેઓ કેનાલમાં પડી ગયા હતા અને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે દીપકભાઈ ચારોલા ઘટનાસ્થળે જ મોત નિપજયુ આ બનાવની જાણ થતા તરવૈયાઓને બોલાવીને કેનાલમાં વહેતા પાણીમાંથી દીપકભાઈની ડેડબોડીને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની અરજણભાઈ શંકરભાઈ ચારોલા (૫૦) એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન પાણીમાં ડુબી ગયો

માળીયા તાલુકાના વાધરવા ગામની સીમમાં નર્મદા પાણી પુરવઠાનું તળાવ આવેલ છે જેમાં રેલવે લાઈનમાં ગેંગમેન તરીકે કામ કરતાં મનોજભાઈ અરજણભાઈ ધામેચા (૩૦) ગત તારીખ ૧૩/૮ ના બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં પાણી પીવાની બોટલ ભરવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જવાના કારણે મનોજભાઈ અરજણભાઈ ધામેચાનું આ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની તેઓના મોટાભાઈ ભરતભાઈ અરજણભાઇ ધામેચાએ પોલીસને જાણ કરી હતી જેથી માળિયા તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધનું મોત

માળીયા તાલુકાના ઘાંટીલા ગામે રહેતા નરસીભાઇ પ્રેમજીભાઈ સનીયારા (ઉંમર વર્ષ ૮૦) ગત તા. ૧૭/૭ ના રોજ પોતાના ઘરે બાથરૂમમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને શરીરે ઇજાઓ થઇ હોવાના કારણે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News