મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વતન પ્રેમ: માળીયા (મી)ના વવાણીયા ગામે દાતાઓ દ્રારા બાળકોને યુનીફોર્મ, સ્ટેશનરી અને ટીફીનની ભેટ


SHARE











વતન પ્રેમ: માળીયા (મી)ના વવાણીયા ગામે દાતાઓ દ્રારા બાળકોને યુનીફોર્મસ્ટેશનરી અને ટીફીનની ભેટ

માળીયા મિયાણા તાલુકના વવાણીયા ગામે આવેલ કન્યા શાળામાં સ્વ. નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાની તમામ બાળાઓને યુનીફોર્મસ્ટેશનરી અને ટીફીનની ભેટ આપવામાં આવી હતી ત્યારે શાળા તરફથી તમામ દાતાઓને મોમેન્ટો અને સન્માન પત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાની બાળાઓએ "રંગ ભર્યુ નાનું રૂપાળું મારૂ ગામડું ...." ગીત રજૂ કર્યુ હતું જેને સાંભળી વવાણીયા જેમની જન્મભૂમી છે તેવા દાતાઓને પોતાના વતનનાં સંસ્મરણો તાજા થઈ આવ્યા હતા. આ તકે માધ્યમિક શાળાનાં આચાર્ય દ્વારા પ્રાસંગીક વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યાર બાદમાં કન્યા શાળાની બાળાઓ દ્વારા અભિનય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા જેને જોઈ મહેમાનો ભાવવિભોર બની ગયા હતા. દાતાઓમાં મુંબઈથી આવેલા મૂળ વવાણીયાના દિલીપભાઈ મહેતાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું અને વવાણીયા કન્યા શાળાના આચાર્ય ઈશ્વરભાઇ સાવરિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.






Latest News