હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શ્રી જુના દેવળીયા કુમાર પ્રા.શાળા તેમજ રત્નમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જવાહર નાવોદય પરિક્ષામા ઉત્તીર્ણ


SHARE











મોરબીના શ્રી જુના દેવળીયા કુમાર પ્રા.શાળા તેમજ રત્નમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જવાહર નાવોદય પરિક્ષામા ઉત્તીર્ણ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જુના દેવળીયા ગામની સરકારી શાળા શ્રી જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી દલસણિયા ધ્વનિત અનિલભાઈ ઉત્તીર્ણ થયો છે.તેમજ મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ખડોલા દક્ષ કિર્તનભાઈ પણ ઉત્તીર્ણ થયો છે.જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને બંને વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાઓનું ગૌરવ વધાર્યું છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ

૯ જુલાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ હતો.૭૪ માં સ્થાપના દિવસ નિમિતે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.મોરબી જિલ્લામાં ૯ જુલાઈ વિદ્યાર્થી દિવસ નિમિતે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે તેમજ નગર કારોબારીની ઘોષણા પણ કરાશે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News