વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટના કર્મચારીની ફરજમાં રૂકાવટ-જાનથી મારી નાખવાની ધમકીમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો


SHARE











વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટના કર્મચારીની ફરજમાં રૂકાવટ-જાનથી મારી નાખવાની ધમકીમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો


વાંકાનેર તાલુકાનાં કાશીયાગાળાની સીમમાં ગાયો તથા ભેસો છૂટી મૂકી ઘાસ ચરાવી વીડીમાં નુકસાન કરવામાં આવ્યું હતું જેથી કરીને કાશીયાગાળાની સીમ રોજીલા રીજર્વ ફોરેસ્ટ વીડીના કર્મચારીએ ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી જે કેસ વાંકાનેરની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે

વર્ષ -૨૦૦૧ માં આરોપી સીદાભાઈ જેસીંગ ભરવાડ તથા  ભવાન જેસિંગભાઈ ભરવાડ કાશીયાગાળાની સીમ રોજીલા રીજર્વ ફોરેસ્ટ વીડીમાં આશરે ૯૨ જેટલી ગાયો તથા ૨૫ જેટલી ભેસો છૂટી મૂકી ઘાસ ચરાવી વીડીમાં નુકસાન કરતાં ફરીયાદી પરસોતમભાઈ લકૂભાઈ ગોસાઇ ગાયો તથા ભેસોને ગ્રામ પંચાયત ડબામાં મૂકવાની કાર્યવાહી કરતાં હતા ત્યારે આરોપીઑ જઈ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી અને વાડામાં પ્રવેશ કરી ગાયો તથા ભેસો હાકી લઈ ગયા હતા અને ફરીયાદીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેથી આરોપી સીદાભાઈ જેસીંગ ભરવાડ તથા ભવાન જેસિંગભાઈ ભરવાડ વિરુધ્ધ આપ.પી.સી. કલમ- ૪૪૭૧૮૬૫૦૬(૨) ૧૧૪ અને ગ્રામ પંચાયત ધારાની કલમ-૧૮૩૧૮૪ તથા ઇંન્ડીયન ફોરેસ્ટ એક્ટની કલમ- ૨૬(ડી)(આઈ) મુજબનો ગુન્હો નોંધાયેલ હતો જે કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં આરોપી (બચાવ) તરફે વકીલ યુનુસ એ. ખોરજીયાએ દલીલ કરેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજૂ કર્યા હતા જેને ધ્યાને લઈને આ ગુન્હાના કામે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો કોર્ટે હુકમ કરેલ છે .






Latest News