મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી અને વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી-નો પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ મોરબી મનપા ફાયર વિભાગે હોસ્પિટલ, સ્કૂલ અને હોટલમાં આપી ફાયરની તાલીમ મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટના કર્મચારીની ફરજમાં રૂકાવટ-જાનથી મારી નાખવાની ધમકીમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો


SHARE















વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટના કર્મચારીની ફરજમાં રૂકાવટ-જાનથી મારી નાખવાની ધમકીમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો


વાંકાનેર તાલુકાનાં કાશીયાગાળાની સીમમાં ગાયો તથા ભેસો છૂટી મૂકી ઘાસ ચરાવી વીડીમાં નુકસાન કરવામાં આવ્યું હતું જેથી કરીને કાશીયાગાળાની સીમ રોજીલા રીજર્વ ફોરેસ્ટ વીડીના કર્મચારીએ ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી જે કેસ વાંકાનેરની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે

વર્ષ -૨૦૦૧ માં આરોપી સીદાભાઈ જેસીંગ ભરવાડ તથા  ભવાન જેસિંગભાઈ ભરવાડ કાશીયાગાળાની સીમ રોજીલા રીજર્વ ફોરેસ્ટ વીડીમાં આશરે ૯૨ જેટલી ગાયો તથા ૨૫ જેટલી ભેસો છૂટી મૂકી ઘાસ ચરાવી વીડીમાં નુકસાન કરતાં ફરીયાદી પરસોતમભાઈ લકૂભાઈ ગોસાઇ ગાયો તથા ભેસોને ગ્રામ પંચાયત ડબામાં મૂકવાની કાર્યવાહી કરતાં હતા ત્યારે આરોપીઑ જઈ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી અને વાડામાં પ્રવેશ કરી ગાયો તથા ભેસો હાકી લઈ ગયા હતા અને ફરીયાદીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેથી આરોપી સીદાભાઈ જેસીંગ ભરવાડ તથા ભવાન જેસિંગભાઈ ભરવાડ વિરુધ્ધ આપ.પી.સી. કલમ- ૪૪૭૧૮૬૫૦૬(૨) ૧૧૪ અને ગ્રામ પંચાયત ધારાની કલમ-૧૮૩૧૮૪ તથા ઇંન્ડીયન ફોરેસ્ટ એક્ટની કલમ- ૨૬(ડી)(આઈ) મુજબનો ગુન્હો નોંધાયેલ હતો જે કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં આરોપી (બચાવ) તરફે વકીલ યુનુસ એ. ખોરજીયાએ દલીલ કરેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજૂ કર્યા હતા જેને ધ્યાને લઈને આ ગુન્હાના કામે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો કોર્ટે હુકમ કરેલ છે .






Latest News