મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પેટ્રોલ પંપ ધારકોની પુરવઠા અધિકારીની હાજરીમાં મિટિંગ યોજાઇ


SHARE







મોરબી જિલ્લાના પેટ્રોલ પંપ ધારકોની પુરવઠા અધિકારીની હાજરીમાં મિટિંગ યોજાઇ

 મોરબી જિલ્લામાં પેટ્રોલ પંપના સંચાલકોને પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો નથી જેથી પેટ્રોલ પંપના સંચાલકો અને પોતાના પેટ્રોલ પંપ ચાલુ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અવારનવાર કંપનીને કહેવા છતાં પણ પેટ્રોલ અને ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવતો નથી જેથી કરીને પેટ્રોલ પંપ સંચાલકોની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી હતી અને ભવિષ્યમાં લાઇસન્સ રિન્યૂ કરતાં સમયે પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેથી કરીને મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓને હાજર રાખીને મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઇ નાથાભાઈ ડાભીની આગેવાની હેઠળ મીટીંગ રાખવામાં આવી હતી અને આ મિટિંગની અંદર એચપી, બીપીસીએલ સહિતની કંપનીના પેટ્રોલ પંપ ધરાવતા પેટ્રોલ પંપ સંચાલકો હાજર રહ્યા હતા જો કે, મોરબી જિલ્લામાં નાયરા, રિલાયન્સ અને એસ્સાર કંપનીના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલનો જથ્થો આવતો ન હોવાથી તે લોકોના પંપ ઉપર હાલમાં પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરી દીધું છે જોકે એચપી અને બીપીસીએલ સહિતની કંપનીઓએમાંથી બેથી ત્રણ દિવસે માલ આવતો હોય છે જેથી માલ ન હોવાના કારણે ગ્રાહક દ્વારા ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ ન મળતું હોવાની ફરિયાદ કરે તો લાયસન્સ રીન્યુ કરવા સહિતના પ્રશ્નો પણ ભવિષ્યમાં ઊભા થાય તેવી શક્યતા છે જેથી પેટ્રોલ પંપના સંચાલકોને તેઓની ડિમાન્ડની સામે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કંપનીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને જો આઠ દિવસમાં અસરકારક કામગીરી પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓ દ્વારા નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં તેઓની સામે પણ પગલાં લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે






Latest News