ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે માતાની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષોનું એક્સલ સિરામિક ગ્રુપ દ્વારા વાવેતર


SHARE











મોરબીના ચાંચાપર ગામે માતાની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષોનું એક્સલ સિરામિક ગ્રુપ દ્વારા વાવેતર

મોરબી તાલુકાના ચાંચાપર ગામે ઉદ્યોગપતિ દ્વારા પોતાની માતાની સ્મૃતિમાં ૧૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને ગામમાં ઓક્સિજન પાર્ક બનાવવા માટે થઈને કવાયત કરવામાં આવી છે અને સમગ્ર ભાલોડીયા પરિવાર દ્વારા આ માટે થઈને આર્થિક સહયોગ આપવામાં આવતા ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ભીલોડીયા પરીવારની ગામ પ્રત્યેની લાગણીને બિરદાવવામાં આવી છે 

સામાન્ય રીતે ચોમાસા પૂર્વે ગામોગામ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે જોકે થોડા સમય પહેલા આવેલ કોરોનાની બીજી વેવ દરમ્યાન ઓક્સિજનની અછત ઊભી થઈ હતી અને ઓક્સિજનના અભાવના કારણે ઘણાં લોકોના મૃત્યુ હોય તેવું ગુજરાત અને દેશની અંદર જોવા મળ્યો હતો ત્યારે ગામોગામ હવે ઓક્સિજન પાર્ક કરવા માટે થઈને લોકો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામના રહેવાસી અને મકનસર નજીક  એક્સેલ સિરામિક ધરાવતા એક્સલ ગ્રુપવાળા સ્વ.વજીબેન જેઠાભાઈની શ્રદ્ધાંજલિ કાયમી યાદ રહે તે માટે થઈને જેઠાભાઈ રવજીભાઈ ભાલોડીયા અને તેમના દીકરા સુરેશભાઈ તેમજ અશોકભાઈ અને તેમના પરિવારજનો દ્વારા પોતાના ગામમાં ૧૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટે થઈને સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના માટેનો આર્થિક સંપૂર્ણ ખર્ચ એકસેલ ગ્રુપ તરફથી આપવામાં આવી રહ્યો છે ત્યારે આ કામગીરીને ગામના સરપંચ ભુદરભાઇ ભાલોડીયાકેપ્શન સિરામિક વાળા પ્રવિણભાઇ રામજીભાઇ ભાલોડીયા અને પ્રાણજીવનભાઇ કાસુન્દ્રા વિગેરે બિરદાવી છે અને મોરબીના અન્ય ઉધોગકારોને પણ તેના વતનમાં આવી રીતે ઓક્સિજન પાર્ક બનાવવા માટે ચાંચાપરનો ભાલોડીયા પરિવાર પ્રેરણારૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરી છે

 

 
 
 





Latest News