મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો બરોબર ન ચાલતો હોવાથી યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE











 

મોરબીમાં કામ ધંધો બરોબર ન ચાલતો હોવાથી યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટાટા મોટરના શોરૂમની બાજુમાં રહેતા યુવાને કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટાટા મોટરના નવા શોરૂમની બાજુમાં આવેલા વિનાયક ફાર્મ હાઉસની પાસે અજય નરવતભાઈ નાયક (ઉમર ૨૩) નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના ભાઈ નિલેશે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન ઘરમાં સૌથી મોટો હતો અને ઘરની જવાબદારી તેના ઉપર હતી જોકે, કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નિપજ્યું છે.

મારામારીમાં ઇજા

મોરબીના સબ જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ વશરામભાઈ સાવરીયા નામના ૪૨ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા બાબુભાઈ માનાભાઇ બસીયાને મીતાણા-નેકનામ હાઇવે ઉપર જતા સમયે ત્યાં મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના સુસવાવ ગામનો રહેવાસી રાકેશભાઈ શિવરાજભાઈ રામાવત નામનો ૩૬ વર્ષીય યુવાન સુસવાવથી બાઈક લઈને ઘાંટીલા જતો હતો ત્યારે રસ્તામાં દેવળીયા ચોકડી પાસે તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઈજા થતાં રાકેશ રામાવતને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News