મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીને પેરિસ બનાવવાની લોલીપોપ ભાજપ હજુ કેટલા વર્ષ આપશે ?: રમેશભાઈ રબારી


SHARE











મોરબીને પેરિસ બનાવવાની લોલીપોપ ભાજપ હજુ કેટલા વર્ષ આપશે ?: રમેશભાઈ રબારી

મોરબીને પેરિસ બનાવવાની લોલીપોપ ભાજપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ સુધરાઈરાજય અને કેન્દ્રમાં ભાજપ સત્તારૂઢ છે તો પણ મોરબી પેરિસ જેવુ નથી બન્યું તે હકકીત છે અને શહેરને પીવાનું પાણી પુરૂ પાડો તેમજ મચ્છુ નદીને ગંદકીને સાફ કરો તો પણ ઘણું છે

મોરબી રિવરફ્રન્ટ અને અનેકવિધ સુખ સુવિધાની લાલચો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ દ્વારા આપવામાં આવે છે પરંતુ હકિકત સાવ અલગ છે આજે મોરબીનાં અનેક પોશ વિસ્તાર સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં પીવાનું પાણી મળતુ નથી અને લોકો હેરાન પરેશાન છે ત્યારે અહીના ધારાસભ્ય અને રાજયમંત્રી તેમજ ભાજપના સુત્રધારો લોકોને રોજેરોજ નવી નવી કંપનીની લોલીપોપ આપી ગુમરાહ કરે છે મોરબી વિસ્તારમાં પેટા ચૂંટણી પછી રાજયમંત્રીએ કેટલા ખાતમુહુર્ત કરેલ ? તે પૈકીનાં કેટલા કામો શરૂ થયા?  અને કેટલા અધુરા છે ? તે પણ લોકોને જણાવવું જોઈએ અને હાલમાં રિવરફ્રન્ટની વાત કરવાના બદલે શહેરીજનો પાણી માટે વલખા મારે છે તેના માટે નક્કર આયોજન કરવામાં આવે તેવી માંગ કોંગી આગેવાન રમેશભાઇ રબારીએ કરી છે






Latest News