મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલનું ધરમૂળથી રીનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ


SHARE











મોરબીના ઝૂલતા પુલનું ધરમૂળથી રીનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ

સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલની સફરનો નિરંતર લોકોએ આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલમાં રીનોવેશનની જરુરત હતી જેથી કરીને ઝૂલતા પુલને ખોલીને ધરમૂળથી રીનોવેશનની કામગીરી અજંતા- ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે

ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખે જણાવ્યા મુજબ મોરબીના લોકો ઐતિહાસિક ઝૂલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા ગાળા સુધી માણી શકે તે માટે જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપનીનો સંપર્ક કરીને તેમની પાસે ખાસ સ્પેશીયલ ગ્રેડનુ મટીરીયલ તૈયાર કરાવાઈ રહયુ છે. અને ઝૂલતા પૂલને વધુ મજબૂત બનાવવા ઓરેવા ગ્રુપ અને ફેબ્રીકેટરની ટીમ દ્વારા આશરે એક મહિનો આર એન્ડ ડી કરવામાં આવ્યું હતું અને ઝુલતા પુલના રીનોવેશનનો અંદાજીત ખર્ચ આશરે બે કરોડ રૂપિયા આવશે. આ ઝૂલતા પુલને ખોલીને રીનોવેશન કરવાની કામગીરી આશરે ૪ થી ૫ માસ ચાલશે અને ત્યાર બાદ ઐતીહાસીક ઝૂલતા પુલને જનતા માટે ફરી ખુલ્લો મુકાશે. અગાઉ પણ ઓરેવા ગ્રુપના સુંદર સંચાલન થકી ઝુલતો પુલ સતત ૧૦ વર્ષ સુધી નિરંતર ચાલુ રહ્યો હતો અને હાલ થઈ રહેલ રીનોવેશન પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય તે માટે ઓરેવા ગ્રુપ પ્રયત્નશીલ છે 






Latest News