મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ગેરેજ પાસેથી બીયરના ૧૪૨ ટીન સાથે એક ઝડપાયો


SHARE











મોરબીના બેલા ગામે ગેરેજ પાસેથી બીયરના ૧૪૨ ટીન સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ નાઈટરાઉન્ડમાં હતો તે દરમિયાન સ્ટાફને મળેલ બાતમી આધારે બેલા ગામે આવેલ ગેરેજ નજીક તપાસ કરવામાં આવતા ત્યાંથી પોલીસને બીયરના ૧૪૨ ટીન મળી આવ્યા હતા.જેથી પોલીસ દ્વારા બીયરના ૧૪૨ ટીન સાથે હાલમાં એક ઈસમની ધરપકડ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતનો સ્ટાફ મોરબીના બેલા ગામ પાસે આવેલ દેવ મોટર્સ ગેરેજ નજીક પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાન મળેલ બાતમીને આધારે દેવ મોટર નજીક સર્ચ કરવામાં આવતા ત્યાંથી બીયરના ૧૪૨ ટીનની સાથે દિવ્યેશ કિશોરભાઇ અંબાણી જાતે પટેલ (ઉમર ૨૮) રહે.હરિઓમ પાર્ક ઘુંટુ રોડ મોરબી-૨ વાળો મળી આવ્યો હતો.જેથી હાલમાં રૂપિયા ૧૪,૨૦૦ ની કિંમતના બીયરના ૧૪૨ ટીન જપ્ત કરીને દિવ્યેશ અંબાણી વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો..? અને તે કોને કોને વેચાણ કરતો હતો..? એ દિશામાં તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વિશીપરાના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો મહેન્દ્રભાઈ કિશોરભાઈ સારેસા નામના ૧૭ વર્ષીય યુવાન માળીયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યારે પડધરીનો રહેવાસી ઇરફાનભાઇ હુસેનભાઇ હાલા નામનો ૨૮ વર્ષીય યુવાન મોરબીના નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતાં તેને પણ સારવારમાં સિવિલે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે બંને બનાવો અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર નજીક આવેલ સનસેરા સિરામિક નામના યુનિટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રોહિતકુમાર ઉદનાભાઈ શાહ (૨૦) અને વિરેન્દ્ર ક્રિષ્નાભાઈ શાહ (૨૩) નામના બે પરપ્રાંતીય યુવાનોને ઇજાઓ પહોંચતાં બંનેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.જેથી નોંધ કરી પોલીસે મારામારીના બનાવની આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News