વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા પાસેથી લીલાઘાસની આડમાં દારૂની હેરાફેરી: ૮૭૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE











વાંકાનેરના વઘાસીયા પાસેથી લીલાઘાસની આડમાં દારૂની હેરાફેરી: ૮૭૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસેથી અશોક લેલન નાની માલ વાહક ગાડી લીલું ઘાસ લઈને જતી હતી જેને રોકીને તલાશી લેવામાં આવી હતી ત્યારે લીલા ઘાસની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને વાહનમાથી દારૂની નાની મોટી ૮૭૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ,૩૮,૦૦૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૨,૪૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે

 મોરબી એલ.સી.બી.ની ટીમના જયેશભાઇ વાઘેલા તથા વિક્રમભાઇ કુગશીયાને ખાનગી બાતમી મળી હતી કેચોટીલા તરફથી એક નંબર વગરની અશોક લેલન નાની માલ વાહક ગાડીમાં લીલા ઘાસની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો મોરબી તરફ આવવાનો છે જેથી કરીને એલસીબીની ટીમ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે વોચમાં હતી અને બાતમી વાળું વાહન નીકળતા રેઇડ કરતા અશોક લેલન દોસ્ત મોડલની નાની માલ વાહક ગાડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ ૮૭૬ બોટલો મળી આવી હતી જેથી ,૩૮,૦૦૦ નો દારૂ અને  મોબાઇલ તેમજ વાહન મળીને કુલ ૨,૪૩,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને દારૂના જથ્થા સાથે પોલીસે હાલમાં ઇમરાન ભાઇજાન રજાકભાઇ મેમણ (ઉ.૩૨) રહે. ચોટીલાઘાંચીવાડ શેરી નં-૫ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા, દિલીપભાઇ ચૌધરીવિક્રમસિંહ બોરાણાજયેશભાઇ વાઘેલા, વિક્રમભાઇ કુગશીયાનિર્મળસિંહ જાડેજાબ્રિજેશ કાસુન્દ્રા વિગેરેએ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News