મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વડાપ્રધાન મોદીના આટકોટના પ્રોગ્રામ માટે મોરબી જિલ્લાને ૧૦ હજારનો ટાર્ગેટ !


SHARE











વડાપ્રધાન મોદીના આટકોટના પ્રોગ્રામ માટે મોરબી જિલ્લાને ૧૦ હજારનો ટાર્ગેટ !

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે ૨૮ મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજવાનો  છે જેમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરવા માટે દરેક જિલ્લાને ભાજપમાંથી ટાર્ગેટ આપવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ૧૦ હજારનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોગ્રામમાં વધુમાં વધુ જાણ મેદની મોરબી જિલ્લામાંથી એકત્રિત કરવા માટે હાલમાં સતત દોડધામ કરવામાં આવી રહી છે અને ૨૩૦ જેટલી બસો અને ૨૦૦ કાર મોરબી જિલ્લામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે જવાની છે અને તેના માટે જુદાજુદા ગામોમાં શુક્રવારે સાંજે બસ પહોચાડી દેવામાં આવશે અને શનિવારે સવારે પાંચ વાગ્યે તમામ વાહનો મોરબી જિલ્લાના જુદાજુદા નક્કી કરેલા રૂટ ઉપરથી રવાના કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાની ૧૪ કોલેજને ફરજીયાત ૫૦-૫૦ વિદ્યાર્થીઓને ટાર્ગેટ આપવામાં આવેલ છે તેવી જ રીતે ગામડા, તાલુકા અને જિલ્લાના હોદેદારોને જનમેદની એકત્રિત કરવા માટે ચોકસા ટાર્ગેટ આપવામાં આવેલ છે ત્યારે આ મુદે પત્રકાર પરિષદ યોજીને જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લાના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જિલ્લાના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા અને તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાએ   જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો આવવાના છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ આ કાર્યક્રમમાં ૧૦ હજાર લોકો જવાના છે તેના માટેની તમામ વ્યવસ્થા અને તૈયારી કરી લેવામાં આવેલ છે






Latest News