મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ


SHARE











મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ

 
મોરબી મચ્છુ નદીના પટમાં પાજ નજીક બે બાળકો ગયા હતા જે પૈકી એક ડુબી ગયો હતો. જે બનાવની જાણ મોરબી પાલિકાને કરવામાં આવી હતી.જોકે બે પૈકી એક બાળક પાજ નજીક પાણીના ખાડામાં ડુબી ગયો હતો.તેથી નદીના પાણીમાં ગરકાવ થયેલા એક બાળકને શોધવા માટે થઈને ફાયર વિભાગના સ્ટાફે કવાયત શરૂ કરી હતી અંતે મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા બાળકને શોધવા કરવામાં આવેલ કવાયતના અંતે મચ્છુ નદીમાં ડૂબેલા બાળકના મૃતદેહને બહાર કાઢીને હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને બનાવની મોરબી ડિવિઝન બી ડીવીજન પોલીસે થતા તેમણે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
 
મોરબીની મચ્છુ નદીમાં પટમાં આવેલ પાજ નજીક આજે તા.૧૦ ના રોજ ગ્રીનચોક વિસ્તારમાં રહેતા બે બાળકો ગયા હતા જે પૈકી ડુબી જવાથી એક બાળકનું મોત નિપજેલ છે.જાણવા મળતી વિગતો મુજબ શહેરના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી કંસારા શેરીમાં રહેતો હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) નામના બાળકનું ડુબી જવાથી મોત નિપજેલ છે. મૃતક હર્ષ વારસાણી સાંજે પારેખ શેરીમાં રહેતા તેના મિત્ર ઓમની સાથે મચ્છુ નદીમાં પટમાં આવેલી પાજ પાસે પાણી ભરેલ ખાડામાં ન્હાવા માટે ગયો હતો તે સમયે તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.બાદમાં જાણ થતા મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે મૃતક બાળક હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) રહે.કંસારા શેરી બજાર લાઇન મોરબીની લાશ નદીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે ખસેડી હોવાનું જાણવા મળેલ છે અને પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરેલ છે.

મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બીપોઝીટીવ






Latest News