મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ


SHARE











મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ

 
મોરબી મચ્છુ નદીના પટમાં પાજ નજીક બે બાળકો ગયા હતા જે પૈકી એક ડુબી ગયો હતો. જે બનાવની જાણ મોરબી પાલિકાને કરવામાં આવી હતી.જોકે બે પૈકી એક બાળક પાજ નજીક પાણીના ખાડામાં ડુબી ગયો હતો.તેથી નદીના પાણીમાં ગરકાવ થયેલા એક બાળકને શોધવા માટે થઈને ફાયર વિભાગના સ્ટાફે કવાયત શરૂ કરી હતી અંતે મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા બાળકને શોધવા કરવામાં આવેલ કવાયતના અંતે મચ્છુ નદીમાં ડૂબેલા બાળકના મૃતદેહને બહાર કાઢીને હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને બનાવની મોરબી ડિવિઝન બી ડીવીજન પોલીસે થતા તેમણે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
 
મોરબીની મચ્છુ નદીમાં પટમાં આવેલ પાજ નજીક આજે તા.૧૦ ના રોજ ગ્રીનચોક વિસ્તારમાં રહેતા બે બાળકો ગયા હતા જે પૈકી ડુબી જવાથી એક બાળકનું મોત નિપજેલ છે.જાણવા મળતી વિગતો મુજબ શહેરના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી કંસારા શેરીમાં રહેતો હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) નામના બાળકનું ડુબી જવાથી મોત નિપજેલ છે. મૃતક હર્ષ વારસાણી સાંજે પારેખ શેરીમાં રહેતા તેના મિત્ર ઓમની સાથે મચ્છુ નદીમાં પટમાં આવેલી પાજ પાસે પાણી ભરેલ ખાડામાં ન્હાવા માટે ગયો હતો તે સમયે તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.બાદમાં જાણ થતા મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે મૃતક બાળક હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) રહે.કંસારા શેરી બજાર લાઇન મોરબીની લાશ નદીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે ખસેડી હોવાનું જાણવા મળેલ છે અને પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરેલ છે.

મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બીપોઝીટીવ




Latest News