મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: અન્યની શોધખોળ


SHARE











મોરબીમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: અન્યની શોધખોળ

મોરબી શહેરના આલાપ રોડ ઉપર પટેલ નગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને વજેપર ગામના સરવે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેની સાથે સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી વૃદ્ધ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બે શખ્સની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મૂળ મોરબી તાલુકાના કેરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર પટેલ નગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૫)એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબીના નવા બસ સ્ટેશન પાસે આશાપુરા ટાવરમાં આવેલ વકીલ સહદેવસિંહની ઓફિસ ખાતે ખોટું સોદાખત બનાવીને સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જે ફરિયાદમાં ભોગ બનેલા વૃદ્ધે જણાવ્યું છે કે વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે નંબર ૭૫૦ તથા સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ હે.આર.ચો.મી. વેચવાની હોવાની હકિકત જણાવી આરોપી અંબારામભાઇ પટેલ, ચુનીલાલ દલવાડી, અશોકભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ જાકાસણીયાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરિયાદીને ખોટા ખાતેદાર તરીકે કાંતાબેન નામ ધારણ કરનાર સવિતાબેન તથા સાક્ષી તરીકે રહેલ પીન્ટુભાઇ તથા અલ્પેશભાઇ એમ બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી જમીનના માલીક કાંતાબેનના તથા તેના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી સવિતાબેનને કાંતાબેન તરીકે ખોટુ સોદાખત કરી આપ્યું હતું અને ફરિયાદી સાથે સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરેલ હતી આ ગુનામાં પોલીસે હાલમાં પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ જાતે દલવાડી (૩૪) ધંધો કાપડનો વ્યવસાય અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ જાતે દલવાડી (૩૦) ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે. મગરની વાડી વાવડી રોડ, ભગવતી હૉલ પાસે મોરબી વાળનો ધરપકડ કરેલ છે અને મહિલા સહિતના વકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News