મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારો સાથે અરવિંદ કેજરીવાલ કરશે મીટિંગ


SHARE











મોરબીના ઉદ્યોગકારો સાથે અરવિંદ કેજરીવાલ કરશે મીટિંગ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાતનાં પ્રવાશે આવી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પણ ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે

દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આગામી ૧૨/૫/૨૦૨૨ ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મિટિંગમાં હાજર રહેવા માટે મોરબી સીરામીક એસોસિએશનના તમામ હોદેદારો સહિતના મોરબીના ઉદ્યોગકારોને કેજરીવાલ તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના  પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા  મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારોને આવવા માટે અનુરોધ કરેલ  છે અને જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામઉદ્યોગનું નામ મોકલી આપવા જણાવ્યુ છે તે મુજબનો સમય ઉદ્યોગકારોને આપવામાં આવશે અને ઉદ્યોગકારોએ પોતાની વિગત ૮૭૩૨૯ ૧૮૧૮૩ ઉપર મોકલવી આપવા માટે આમ આસામી પાર્ટીના નેતા પરેશભાઈ પારીઆએ જણાવ્યુ છે 






Latest News