હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત


SHARE











હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત

હળવદમાં આવેલ તળાવમાં બાળક ડૂબી ગયો હોવાની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તળાવમાં બાળકની શોધખોળ કરવામાં આવી હતી અને બાર વર્ષના બાળકનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ખારી વાડી વિસ્તારની અંદર રહેતા દિનેશભાઈ પ્રજાપતિનો બાર વર્ષનો દીકરો સિધ્ધરાજ હળવદમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવના કાંઠે હતો ત્યારે પાણીમાં ડૂબી ગયો હોવા અંગેની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક ટીમો સ્થળ ઉપર આવી ગઈ હતી અને તળાવમાં ડૂબી ગયેલા બાળકને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને શોધખોળના અંતે તળાવના પાણીમાંથી સિધ્ધરાજ દિનેશભાઈ પ્રજાપતિ (૧૨) નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News