તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રીમદ રાજ સોસાયટી પાસે પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારનો અકસ્માત


SHARE











મોરબીમાં શ્રીમદ રાજ સોસાયટી પાસે પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારનો અકસ્માત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ પર શ્રીમદ રાજ સોસાયટી પાસેથી પસાર થતી પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારની પાછળના ભાગમાં બાઇક ચાલકે પોતાનું બાઇક અથડાવ્યું હતું જેથી કરીને કારના બમ્પર અને બ્રેક લાઈટમાં નુકસાન થયું હતું માટે હાલમાં કારમાં ૨૦ હજારનું નુકશાન થયું હોવા અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર શ્રીમદ રાજ સોસાયટી પાસે જયેશ બંગ્લોઝ પાસેથી મોરબીના પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટની સરકારી ઈનોવા કાર નંબર જીજે ૩૬ જી ૦૪૬૩ જઈ રહ્યા હતા ત્યારે તેની પાછળના ભાગમાં બાઇક નંબર જીજે ૩૬ કયું ૩૧૪૯ ના ચાલકે પોતાનું બાઇક ધડાકાભેર તેમાં અથડાવ્યૂ હતું જેથી કરીને જજની સરકારી કારમાં બમ્પર તથા બ્રેક લાઈટમાં નુકસાન થયું હતું માટે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કારમાં ૨૦ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ મિચી શેરમાં મોચી મંદિર પાસે રહેતા પાર્થ જનકભાઈ ચૌહાણએ નોંધાવી છે જેથી બાઇક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવતી ગુમ
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઈ થરેશા જાતે કોળી (ઉંમર ૪૧) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી આસાબેન (ઉંમર ૧૯) તા. ૨૬/૪ થી  પોતાના ઘરે કોઇને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને આ બનાવ અંગે તેણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશૂધા નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News