હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રિસામણે બેઠેલ ભત્રીજીનું છૂટું કરવાનું હોય તેનો ખાર રાખીને જમાઈ સહિત બે શખ્સોએ કાકાજી-કાકીજીને ધોકા વડે માર માર્યો


SHARE











મોરબીમાં રિસામણે બેઠેલ ભત્રીજીનું છૂટું કરવાનું હોય તેનો ખાર રાખીને જમાઈ સહિત બે શખ્સોએ કાકાજી-કાકીજીને ધોકા વડે માર માર્યો

મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી હોલોની સામેના ભાગમાં ઝુંપડામાં રહેતા યુવાન અને તેની પતિનીને તેની ભત્રીજીના પતિ સહિત બે શખ્સોએ ધોકા વડે હુમલો કરીને માર માર્યો હતો અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ સહિત બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી હોલની સામે ઝુંપડામાં રહેતા પ્રેમજીભાઈ કરસનભાઈ વાઘેલા જાતે દેવિપુજક (૪૫) એ હાલમાં પુનાભાઈ છોટુભાઈ પરમાર અને સુનિલ પુનાભાઈ પરમાર રહે. બંને વાવડી રોડ ધુતારી નદીના કાંઠે વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની ભત્રીજીના લગ્ન સુનિલ પુનાભાઈ પરમારની સાથે થયેલા હતા અને તેની ભત્રીજી હાલમાં રિસામણે છે અને છૂટું કરવાની વાત ચાલી રહી છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તેના પાસે આવ્યા હતા અને ઝૂપડા પાસે આવીને ગાળો આપી હતી અને ત્યારબાદ પુનાભાઈ છોટુભાઈ પરમારે ધોકા વડે પ્રેમજીભાઈને માથામાં ઇજા કરી હતી અને તેના પત્ની લીલાબેનને સુનિલ પુનાભાઈ પરમારે ધોકા વડે માર માર્યો હતો અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં પુનાભાઈ છોટુભાઈ પરમાર અને સુનિલ પુનાભાઈ પરમારની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News