મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં રિસામણે બેઠેલ ભત્રીજીનું છૂટું કરવાનું હોય તેનો ખાર રાખીને જમાઈ સહિત બે શખ્સોએ કાકાજી-કાકીજીને ધોકા વડે માર માર્યો


SHARE











મોરબીમાં રિસામણે બેઠેલ ભત્રીજીનું છૂટું કરવાનું હોય તેનો ખાર રાખીને જમાઈ સહિત બે શખ્સોએ કાકાજી-કાકીજીને ધોકા વડે માર માર્યો

મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી હોલોની સામેના ભાગમાં ઝુંપડામાં રહેતા યુવાન અને તેની પતિનીને તેની ભત્રીજીના પતિ સહિત બે શખ્સોએ ધોકા વડે હુમલો કરીને માર માર્યો હતો અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ સહિત બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી હોલની સામે ઝુંપડામાં રહેતા પ્રેમજીભાઈ કરસનભાઈ વાઘેલા જાતે દેવિપુજક (૪૫) એ હાલમાં પુનાભાઈ છોટુભાઈ પરમાર અને સુનિલ પુનાભાઈ પરમાર રહે. બંને વાવડી રોડ ધુતારી નદીના કાંઠે વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની ભત્રીજીના લગ્ન સુનિલ પુનાભાઈ પરમારની સાથે થયેલા હતા અને તેની ભત્રીજી હાલમાં રિસામણે છે અને છૂટું કરવાની વાત ચાલી રહી છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તેના પાસે આવ્યા હતા અને ઝૂપડા પાસે આવીને ગાળો આપી હતી અને ત્યારબાદ પુનાભાઈ છોટુભાઈ પરમારે ધોકા વડે પ્રેમજીભાઈને માથામાં ઇજા કરી હતી અને તેના પત્ની લીલાબેનને સુનિલ પુનાભાઈ પરમારે ધોકા વડે માર માર્યો હતો અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં પુનાભાઈ છોટુભાઈ પરમાર અને સુનિલ પુનાભાઈ પરમારની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News