મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા થયા સહભાગી


SHARE











મોરબીમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા થયા સહભાગી

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ બે દિવસ મોરબીના પ્રવેશ હતા ત્યારે મોરબી-માળીયા પંથકમાં ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. અને મોરબીના નાગરિકોના જુદા જુદા ખાતાને લગતા પ્રશ્નો સાંભળ્યા અને તેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપતી હતી તેમજ મોરબીમાં સ્વામી નારાયણ મંદિરની પ્રથમ સ્તંભ વિધિમાં પાનાં હાજરી આપી હતી તે ઉપરાંત વાંકાનેર નજીક સમર્પણ આશ્રમની મુલાકાત લઈ ધ્યાન શિબિરમાં જોડાયા હતા. તથા રત્નકુંવરબેનની કથા મોરબીના જલારામ મંદિરે ચાલી રહી છે ત્યાં હાજરી આપી હતી ત્યારબાદ લખધીરવાસ યુવા મંડળ પ્રાયોજિત કથામાં ઉપસ્થિત રહી નિખિલ શાસ્ત્રીજીની વાણીનો લાભ મેળવ્યો હતો. અને પછી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. મોરબીમાં ચાલી રહેલ હનુમાન ચાલીસા કથામાં ખાસ ઉપસ્થિત રહી સ્વામીની પ્રેરક વાણીનો લાભ લીધો હતો તથા મોરબી કોળી સમાજના માંડવામાં ઉપસ્થિત રહ્યા હતા. માળીયા ખાતે રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ માળીયાથી પસાર થતા લાંબા અંતરની ટ્રેનોને માળીયા સ્ટોપેજ સંબંધિત અધિકારીઓને રજૂઆત તેમજ આ અંગે વિવિધ જાણકારી મેળવી હતી. અને માળીયા ખાતે પીવાના પાણીના કાર્યપાલક ઈજનેર, નાયબ કલેકટર તેમજ સંબંધિત વ્યક્તિઓ અને ગામોના આગેવાનો સાથે પાણીની સમસ્યા તાત્કાલિક નિરાકરણ થાય તે માટે સૂચના આપી હતી.  






Latest News