મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ટંકારામાં ટાઇલ્સ ટ્રેડર્સે લીધેલ પૈસા ત્રણ ગણા ચુકવ્યા છતાં ધમકી, બે સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારામાં ટાઇલ્સ ટ્રેડર્સે લીધેલ પૈસા ત્રણ ગણા ચુકવ્યા છતાં ધમકી, બે સામે ગુનો નોંધાયો

ટંકારા પડથરમાં ગુન્હેગારો ફાટીને ધુમાડે ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે તાજેતરમાં વેપારીની ગોળી ધરબીને હત્યા કરી ખંડણી માંગવાના બનાવ બાદ વ્યાજખોરોના પાપે વેપારીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં સિરામીક ટાઇલ્સના વેપારમાં ખોટ જવાથી ૧૦ ટકા વ્યાજે નાણાં લઈ ત્રણ ગણા રૂપિયા ચૂકવી દેવા છતાં બે આરોપીઓએ જાનથી મારી નાખવા યુવાનને ધમકી આપતા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા અને ખેતી કરવાની સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રા નામના યુવાનને ધંધામાં ખોટ જતા ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા પાસેથી દસ માસ પૂર્વે ૧૦ ટકા લેખે રૂપિયા ૧,૫૦,૦૦૦ અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી નવ મહિના પૂર્વે ૧૦ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦ લીધા બાદ બન્નેને અનુક્રમે ૪,૫૦,૦૦૦ અને ૯,૦૦,૦૦૦ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો દ્વારા ઘરે રૂબરૂ આવીને તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાંખવા ધમકી આપતા તે યુવાને ઘર છોડી દીધું હતું.

બાદમાં તેમના પરિવારજનો તેમજ પરિચિતો દ્વારા બન્ને વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા હિંમત આપતા આ મામલે અંતે ભોગ બનેલા બીપીનભાઈ કાસુન્દ્રાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનયમ તેમજ આઈપીસી કલમ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.






Latest News