મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારામાં ટાઇલ્સ ટ્રેડર્સે લીધેલ પૈસા ત્રણ ગણા ચુકવ્યા છતાં ધમકી, બે સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારામાં ટાઇલ્સ ટ્રેડર્સે લીધેલ પૈસા ત્રણ ગણા ચુકવ્યા છતાં ધમકી, બે સામે ગુનો નોંધાયો

ટંકારા પડથરમાં ગુન્હેગારો ફાટીને ધુમાડે ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે તાજેતરમાં વેપારીની ગોળી ધરબીને હત્યા કરી ખંડણી માંગવાના બનાવ બાદ વ્યાજખોરોના પાપે વેપારીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં સિરામીક ટાઇલ્સના વેપારમાં ખોટ જવાથી ૧૦ ટકા વ્યાજે નાણાં લઈ ત્રણ ગણા રૂપિયા ચૂકવી દેવા છતાં બે આરોપીઓએ જાનથી મારી નાખવા યુવાનને ધમકી આપતા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા અને ખેતી કરવાની સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રા નામના યુવાનને ધંધામાં ખોટ જતા ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા પાસેથી દસ માસ પૂર્વે ૧૦ ટકા લેખે રૂપિયા ૧,૫૦,૦૦૦ અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી નવ મહિના પૂર્વે ૧૦ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦ લીધા બાદ બન્નેને અનુક્રમે ૪,૫૦,૦૦૦ અને ૯,૦૦,૦૦૦ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો દ્વારા ઘરે રૂબરૂ આવીને તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાંખવા ધમકી આપતા તે યુવાને ઘર છોડી દીધું હતું.

બાદમાં તેમના પરિવારજનો તેમજ પરિચિતો દ્વારા બન્ને વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા હિંમત આપતા આ મામલે અંતે ભોગ બનેલા બીપીનભાઈ કાસુન્દ્રાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનયમ તેમજ આઈપીસી કલમ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.






Latest News