ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહીને બે શખ્સો દ્વારા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર ગામે રામ મંદિર પાછળ ધારશીભાઈ કોળીના મકાનમાં રહેતા ઉકાભાઈ લાખાભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉ.૨૯)એ ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા તથા લાલાભાઈ ગોવિંદભાઈ બાંભવા રહે બંને કેરાળા તાલુકો વાંકાનેર વાળની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કેકેરાળા ગામમાં બાલુભાઈ મુસલમાનની દુકાન પાસે તે હતો ત્યારે તેનું બી.પી.એલ. મકાન કેરાળા ગામે આવેલ છે જે મકાન વેચવાની તેને પોતાના પિતાને ના પડી હતી જેથી કરીને આરોપી ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહેતા ફરીયાદીએ મકાન બી.પી.એલ.માં આવ્યું હોય વેચી શકાય નહિ જેથી મારે મકાન વેચવુ નથી તેમ કહેતા આરોપીને સારૂ નહિ લાગતા બંને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ તેને લાકડી વતી ડાબી બાજુ પેટના ભાગે તથા જમણા હાથે કાંડાના ભાગે મુંઢ માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં વાંકાનેર સીટી પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩૫૦૪૫૦૬ (૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ 






Latest News