મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

“સાવધાન”: મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરનારા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE













“સાવધાન”: મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરનારા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબીના જેતપર રોડે બે સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરીને માલ માંગવી લીધા બાદ રૂપિયા નહીં આપીને છેતરપિંડી કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલા શખ્સો સામે પાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા બંને આરોપીને રાજકોટ અને આમદવાદની જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ રોડમાં પાસે સત્તાધાર-૨ સોસાયટીમાં શિલ્પ પેલેસમાં રહેતા પારસભાઇ જયસુખભાઇ ગોધાણી જાતે પટેલ (ઉ.૨૪)નું બેલા ગામની સીમમાં લીઝા ટાઇલ્સ નામનું સિરામિકનું કારખાનું આવેલ છે ત્યારે ટાઇલ્સના બોક્ષ લીધા બાદ ૬.૫૯ લાખ ન આપીને છેતરપિંડી કરવામાં આવી હતી તેવી જ રીતે કાલિદાસ ઉર્ફે કાળુભાઇ જાદવજીભાઇ માકસણા (૩૪)નું પીપળી ગામની સીમમાં આવેલ સેફોન સિરામિક નામના કારખાનેથી ટાઇલ્સના ૧૭૫૦ બોક્ષ લીધા બાદ બિલના રૂપિયા ૫.૮૧ લાખ ન આપીને છેતરપિંડી કરવામાં આવી હતી આમ કુલ મળીને ૧૨.૪૧ લાખની સી છેતરપીંડીના ગુનામાં પોલીસે અગાઉ નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા જાતે પટેલ (ઉ ૨૭) રહે, સુરત અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી જાતે પટેલ (ઉ.૩૭) રહે સુરત વાળાની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ બંને શખ્સોની સામે પાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે જેથી કરીને પોલીસે નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા જાતે પટેલ (ઉ ૨૭) રહે, સુરત વાળાને અમદાવાદની જેલમાં અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી જાતે પટેલ (ઉ.૩૭) રહે સુરત વાળાને રાજકોટની જેલમાં ધકેલવામાં આવેલ છે.,

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News