ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત 


SHARE













મોરબીના સરતાનપર રોડ ઉપર ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપરના સેનેટરીવેરના કારખાનાની અંદર લેબર કવાટરમાં રહેતા યુવાને કોઈ કારણોસર તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ લેતા મજુર યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ પરના કોટો સેનેટરી નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા ભરતભાઇ દેવજીભાઈ મકવાણા નામના ૩૭ વર્ષના યુવાને તેના લેબર કવાટરની અંદર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. ગત મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાં બનેલ ઉપરોક્ત બનાવમાં મૃતક ભરત મકવાણાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે હાલ તપાસમાં સામે આવ્યું ન હોય તપાસ અધિકારી હમીરભાઈ ગોહિલે બનાવના કારણ અંગે વધુ તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા છે.

ઝેરી દવા પીતા મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા અને પતિની સાથે રહીને ફ્રુટ વેચવાનો ધંધો કરતાં જ્યોત્સનાબેન દિનેશભાઈ ભગાભાઈ દેવીપુજક નામની ૩૨ વર્ષીય મહિલાએ નદીના પટમાં ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા વધુમાં જાણવા મળ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે પૃથ્વી આજે ધંધો કરવા માટે કયુ ફ્રુટ ભરવું તે વાતને લઇને બોલાચાલી-ઝગડો થયો હતો અને તે સામાન્ય બોલાચાલી-ઝઘડાની વાતનું લાગી આવતા જોત્સનાબેન દિનેશભાઈ દેવીપુજકે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના વજેપર શેરી નંબર-૧૪ માં રહેતો વિવેક મનસુખ પરમાર નામનો ૨૦ વર્ષનો યુવાન રાજકોટ કેકેવી હોલ ચોકમાં હતો અને ત્યાંથી તે પગપાળા જતો હતો ત્યારે ટ્રક વાળાએ તેને પાછળથી હડફેટે લેતા વિવેક પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઇ જવાયો છે. જ્યારે મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-૧૪ માં રહેતા મહેશ જગુભાઈ દેવીપુજક નામના ૨૪ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવારમાં લઇ જવાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News