મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત


SHARE













ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત

સરકાર દ્વારા ધો. ૧૦ માં વિદ્યાથીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થી પાસ થયા છે જેથી કરીને ટંકારા તાલુકામાં ધો. ૧૧ વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત છે કેમ કે, હાલમાં બધી જ શાળા હાઉસફુલ થઈ ગયેલ છે જેથી જિલ્લા પંચાયતની ટંકારા બેઠકના સદસ્ય અને અન્ય ભાજપના અગ્રણીઑએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરેલ છે

સરકારે ધો. ૧૦ માં માસ પ્રમોશન આપેલ છે જેના કારણે દર વર્ષ કરતા આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે જેથી ધો. ૧૧ માં પ્રવેશ માટે ગ્રાન્ટેડ શાળામાં નવા વર્ગો ઉભા કરવા બાબતે જિલ્લા પંચાયતના ટંકારાના સભ્ય ગોધાણી ભુપેન્દ્રભાઈ અને ભાજપના આગેવાન નથુભાઈ કડીવારએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષે ૨૦૨૦૨-૨૧ માં કૉવિડ-૧૯ ને કારણે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલ છે. ટંકારા તાલુકાની કુલ ૧૩ ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૧૦ ના વર્ગો ચાલે છે. પરંતુ માત્ર ૩ ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચ માધ્યમિકના વર્ગો ચાલતા હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા નથી. ત્યારે જો નવા વર્ગોની મંજૂરી આપવામાં આવે તો જ વિદ્યાર્થીઓને સમાવી શકશે માટે હાલમાં ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત થઈ ગયા છે






Latest News