તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઇ ગયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઇ ગયેલ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા યુવાને નશાની હાલતમાં તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા ગોવિંદ દિનેશભાઈ અદગામા નામના કોળી યુવાને નશાની હાલતમાં તેના ઘેર પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને જાણ થઇ જતાં તેને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો અને હાલ સારવાર હેઠળ છે. બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના નાગડાવાસ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં લવકુશ શોભાભાઈ ચૌહાણ નામના યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા મણીબેન મોતીભાઈ નિમાવત નામના ૮૨ વર્ષના વૃદ્ધા ગામમાં રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબી નજીકના રફાળેશ્વર ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી કમલેશ કાળુભાઈ મોઢુદળીયા નામના ૨૮ વર્ષીય યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે લાલપર ગામે રહેતો અને ગામની પાસેથી પગપાળા જઈ રહેલા રાજેશ્વર પાંડે નામના ૪૬ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.






Latest News