મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ


SHARE







ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના માલધારીઓએ ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ગૌચરની ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે મામલતદારને આવેદન પત્રપઠવ્યું છે અને જો પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ઓટાળા ગામે હે.આર.ચો.મી. ૧૦૮/૭૨/૬૮ ની ગૌચરની જમીન આવેલ છે ત્યાં ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે જેથી  પશુઓને લઈને નીકળી શકાતું નથી માટે માલધારીઓ અને પશુને મુશ્કેલીનો સામનો કરવો પડે  છે જેથી કરીને ગૌચર અને ખરાબાની જમીન ઉપરથી દબાનોને દૂર કરવા માટે પશુપાલકો અને ખેડૂત વચ્ચેની કાયમી સમસ્યાનો અંત લાવવા માટેની માંગ કરી છે જો આવેદનપત્ર આપવા છતા કોઈ પગલા લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News