મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરના જાલી ગામે ડાયરામાં ફરીદાબેન મીર અને  બ્રીજરાજદાન ગઢવીએ બોલાવી રમઝટ


SHARE











મોરબી : વાંકાનેરના જાલી ગામે ડાયરામાં ફરીદાબેન મીર અને  બ્રીજરાજદાન ગઢવીએ બોલાવી રમઝટ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લામાં સૌપ્રથમ વાંકાનેરના જાલી બસ સ્ટેન્ડ પાસે વિશાળ જગ્યામાં ભગવાન માંધાતા અને સંત શ્રીવેલનાથ બાપુના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ જગ્યા ઉપર તા.૨ એપ્રિલને શનિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં સાતથી આઠ હજાર જેટલા તમામ સમાજના લોકો, સંતો-મહંતોએ હાજરી આપી હતી.

પ્રખ્યાત કલાકારો ફરીદાબેન મીર, બ્રીજરાજદાન ગઢવી અને આદિત્યદાન ગઢવીએ લોકગીતો અને લોકસાહિત્યની રમઝટ બોલાવતા લોકો ઝૂમી ઉઠ્યા હતા.લોક ડાયરાનો રાજકીય નેતાઓએ પણ લાભ લીધો હતો.જેમાં મોરબીમાં રહેતા રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, માજી સંસદસભ્ય દેવજીભાઈ ફતેપરા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, વાંકાનેર તાલુકા પંચાયત ટીમ, વાઘજીભાઈ, રતિલાલભાઈ દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.સમસ્ત કોળી સમાજ (માંધાતા ગ્રુપ) વાંકાનેરના સ્થાપક અને સંચાલક જિજ્ઞાસાબેન મેરના હસ્તે કલાકારો અને આગેવાનોનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું.સમસ્ત કોળી સમાજે કરેલાં આ લોકડાયરાની તમામ સમાજે પ્રશંસા કરી હતી.સાથે વાંકાનેરની આજુબાજુના ગામોના અને માલિયાસણ ગામના માંધાતાગ્રુપના લોકો દ્વારા જીજ્ઞાશાબેન મેરનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતુ.






Latest News