મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજનું નહીં આ પાણી પીવાથી થશે અનેક ફાયદા


SHARE











ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજનું નહીં આ પાણી પીવાથી થશે અનેક ફાયદા

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગયેલ છે અને ૧૧૨ વર્ષનો ગરમીનો રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે ત્યારે આવી સ્થિતિમાં, ઘણા લોકોએ ગરમીને દૂર કરવા અને શરીરને ઠંડક આપવા માટે ફ્રીઝમાં રાખેલા પાણીનું સેવન કરવાનું શરૂ કર્યું છે પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજનું ઠંડુ પાણી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ સર્જે છે.

ત્યારે શરીરને રોગોથી દૂર રાખવા અને ઠંડા પાણીથી તરસ છીપાવવા માટે, તમે ઘડાના વિકલ્પને પસંદ કરી શકો છો. માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. આટલું જ નહીં, તેમાં રહેલા ઘણા ફાયદાકારક મિનરલ્સ પણ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે ઘણીવાર ગરમી હોય ત્યારે વ્યક્તિ ફ્રીઝમાં રાખેલ ઠંડુ પાણી પીવે છે, જેનાથી તેના ગળા અને શરીરને ખરાબ અસર થાય છે તો બીજી તરફ ઘડાનું પાણી પીવાથી ગળા પર કોઈ ખરાબ અસર પડતી નથી. અને માટીના વાસણમાં રાખવામાં આવેલા પાણીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરના ગ્લુકોઝ લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે જો ઘડાનું પાણી નિયમિતપણે પીવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી રાખવાથી અશુદ્ધિઓ ભેગી થાય છે અને પાણી અશુદ્ધ બને છે. તેમજ માટીના વાસણનું પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ખાસ વાત એ છે કે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો કરીને તે હાર્ટ એટેકની શક્યતાને પણ ઘટાડે છે આટલું જ નહીં માટીના વાસણનું પાણી પીવાથી ત્વચાને લગતી અનેક સમસ્યાઓ જેવી કે ફોલ્લીઓ, પિમ્પલ્સ અને ખીલમાંથી રાહત મળે છે.






Latest News