મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં કાલે હરીચરણદાસજીની પુણ્યસ્મૃતિમાં હનુમાન ચાલીસા પાઠ યોજાશે


SHARE













મોરબી અને વાંકાનેરમાં કાલે હરીચરણદાસજીની પુણ્યસ્મૃતિમાં હનુમાન ચાલીસા પાઠ યોજાશે

આવતી કાલે રવિવારે તા.૩-૪ ના રોજ શ્રી રામધામ જાલીડા મકામે પ.પુ.ગુરૂદેવ શ્રી હરીચરણદાસ મહારાજના અંતરિક્ષથી આશિર્વાદ મેળવવા માટે પુ.ગુરૂદેવના પ્રિય હનુમાન ચાલિસાના પાઠનું આયોજન કરાયેલ છે.જેમાં શ્યામ ધુન મંડળ દ્રારા રામધુન યોજાશે.ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.કાર્યક્રમ સાંજે ૫ થી ૮ યોજાશે.કાર્યક્રમમાં આવનાર ગુરૂભાઈઓએ રવિવાર ૧૨ વાગ્યા સુધીમાં આવનાર લોકોની સંખ્યા મોબાઇલ નંબર ૯૮૨૫૨ ૨૪૬૩૩, ૯૯૨૪૪ ૯૯૨૦૨, ૯૭૧૨૯ ૮૦૨૭૮ ઉપર લખાવી દેવા શ્રી રામધામ ટ્રસ્ટ જાલીડા (વાંકાનેર) એ યાદીમાં જણાવેલ છે.

સુંદરકાંડના પાઠ યોજાશે

ગોંડલ સ્થિત રામજી મંદિર નાં સદગુરૂ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ફાગણ સુદ-૧૧ તા.૨૮-૩-૨૨ ને સોમવારના રોજ બ્રહ્મલીન થયા.તેમની શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ રૂપે મોરબીના ગુરુભાઈઓ દ્વારા તા.૫-૪ ને મંગળવારના રોજ રાત્રે ૯ કલાકે મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુંદરકાંડના પાઠનુ આયોજન કરવામા આવ્યુ છે.સંગીતમય શૈલીમા સુંદરકાંડનુ રસપાન કરવા તેમજ ગુરૂજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકોએ અપીલ કરેલ છે.






Latest News