મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા ગામે આવેલ ખેતીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પડી


SHARE







રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા ગામે આવેલ ખેતીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પડી

રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા સજ્જનપર ગામે જમીન આવેલ છે તેની ૩૬ ગુઠા જમીન ઉપર ત્રણ શખ્સોએ દબાણ કર્યું છે જેથી જમીન પચાવી પાડનારા સામે ટંકારા પોલીસ સ્ટેશને વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

હાલમાં રાજકોટ માધવ પાર્કમાં રહેતા ભાવસિંહજી દામજીભાઇ ડોડીયા કે જેની ધૂનડા સજ્જનપર ગામે ખેતીની જમીન આવેલ છે તે ૩૬ ગુઠા ખેતીની જમીન ઉપર મનજીભાઇ ગોરધનભાઇ ફુલતરીયાનિલેશભાઇ ગોરધનભાઇ ફુલતરીયા તથા હરેશભાઇ મનજીભાઇ ફુલતરીયાએ દબાણ કર્યું છે અને જમીનને પચાવી પાડી છે તેમજ ત્યાં વાવેતર કરવા લાગ્યા છે જેથી કરીને વૃદ્ધે લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરી હતી. જેના આધારે ટંકારા પોલીસ સ્ટેશને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩૪(૧)(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News