મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

આરોગ્યની સલામતી સાથે આયુર્વેદિક અને હર્બલ રંગોથી મોરબીમાં ધૂળેટી રમવા લોકો સજ્જ


SHARE











આરોગ્યની સલામતી સાથે આયુર્વેદિક અને હર્બલ રંગોથી મોરબીમાં ધૂળેટી રમવા લોકો સજ્જ

હોળી ધુળેટીના પવિત્ર તહેવારની ઉજવણી કરવા માટે આબાલ વૃદ્ધ સહુ કોઈ આ તહેવારની રાહ જોતાં હોય છે અને ધૂળેટીના દિવસે એકમેકને પોતાના રંગમાં રંગતા હોય છે ત્યારે આગામી ધૂળેટીને લઈને મોરબીમાં લોકો પોતાના અને અન્યના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે અને કેમિકલયુક્ત રંગોથી ધૂળેટી રમવાના બદલે આયુર્વેદિક અને હર્બલ રંગોથી ધૂળેટી રમવાનું નક્કી કર્યું છે જેથી કરીને વેપારીઓ પાસેથી હાલમાં લોકો દ્વારા આયુર્વેદિક અને હર્બલ રંગોની ખરીદી કરવામાં આવી રહી છે

ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો દિવસ હોળીનું દહન અને પવિત્રતાથી ભરેલા આ તહેવારનો બીજો દિવસ એટલે ધૂળેટી કે જેની સમગ્ર દેશની લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે રંગોના આ તહેવારની મોરબીવાસીઓ પણ હર્ષોલ્લાસ સાથે દર વર્ષે ઉજવણી કરે છે જો કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે રંગોના તહેવારની ઉજવણી ફિકિ પડી ગઈ હતી અને આ વર્ષે આબાલ વૃદ્ધ સહિતના સહુ કોઈ એકમેકને પોતાના રંગમાં રંગવા માટે થનગની રહ્યા છે જો કે, કેટલાક વર્ષોથી ધુળેટીના તહેવાર પર કેસુડા, અબીલ-ગુલાલની જગ્યાએ કેમિકલયુક્ત હાનીકારક રંગો અને મટોડી લઇને લોકો ધૂળેટીએ રંગે રમે છે પછી માણસોને ચામડીમાં બળતર, વાળમાં નુકશાન, આંખોને નુકશાન અને અન્ય શરરિક તકલીફો થાય છે

આટલું જ નહીં આવા રંગો માનવી ઉપરાંત પશુ પક્ષીઓ, વૃક્ષો અને સમગ્ર વાતાવરણને નુકશાન પહોચાડે છે જેની અસર ધૂળેટી પછી પણ ઘણા દિવસો સુધી રહે છે જેથી આ નુકશાનીથી બચવા અને ધૂળેટીનો તહેવાર રંગોથી જ મનાવવા માટે હવે લોકો જાગૃત બન્યા છે અને આયુર્વેદિક અને હર્બલ રંગોથી ધૂળેટી રમવાનું નક્કી કરતાં જોવા મળે છે અને વેપારીઓ પાસે લોકો દ્વારા આયુર્વેદિક અને હર્બલ રંગો માંગવામાં આવે છે ત્યારે મોરબીમાં આવેલ રિધ્ધિ સિઝન સ્ટોર વાળા દીપકભાઈ પોપટ સાથે વાત કેટ તેમણે કહ્યું હતું કે, કોરોનાના બે વર્ષ દરમ્યાન લોકો ધૂળેટી રમી શક્યા ન હતા જેથી કરીને આ વર્ષે મન ભરીને ધૂળેટી લોકો રમવાના છે અને ખાસ કરીને લોકોના આરોગ્યને નુકશાન ન થાય તે માટે મોરબીના વેપારીઓ પણ હવે કેમિકલયુક્ત અને મટોડીના રંગોનું મોરબીમાં વેચાણ કરતાં નથી આ વર્ષે આયુર્વેદિક અને હર્બલ રંગોના ભાવમાં સરેરાશ ૧૫ થી ૨૦ ટકાનો વધારો આવેલ છે તો પણ માર્કેટ શરૂ છે






Latest News