મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત


SHARE













ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત

ટંકારાની વિરપર ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ ગામે આવેલા ખરાબા પૈકીની જમીન લાગુ, બેઠા થાળે કે અન્ય બાબતે આપવાની થતી હોય તો પહેલા ગ્રામ પંચાયત તથા આજુ-બાજુના ખાતેદારોની સંમતી લેવામાં આવે તેવી રજૂઆત કરેલ છે કેમ કેજમીન ફાળવણી કરવામાં આવ્યા પછી ઘણી વખત ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટેના રસ્તા બંધ થાય છે અને તકરાર ઊભી થાય છે

હાલમાં વિરપર ગ્રામ પંચાયતે કલેક્ટર જે.બી. પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કેવિરપર ગામની આસપાસમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી કોઈને પણ જુદા-જુદા હેતુ માટે જો સરકારના નિયમો મુજબ જમીન આપવાની થતી હોય તો આ જમીનની ફાળવણી કરવામાં આવે તે પહેલા પંચાયતને અને આજુબાજુમાં ખેતરો આવેલા હોય તે લોકોની સંમતી લેવામાં આવે તે જરૂરી છે કેમ કેખાતેદારોને જમીન ફાળવ્યા બાદ સરવે નંબર તથા બાજુના ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટે રસ્તા બંધ થવાથી તકરાર ઉભી થાય છે. અને આવી તકરાર ઊભી ન થાય તે માટે જમીન ફાળવવામાં આવે ત્યારે પહેલા વિરપર ગ્રામ પંચાયત તથા ખાતેદારોની સંમતિ લઇને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.






Latest News